ભારત નું લોકજીવન

    


પ્રસ્તાવના :-  
                 આપણે બધા ગૌરવશાળી છીએ કે આપણો જન્મ ભારતમાં થયો છે. આપણે દેશ એશિયા ખંડની પશ્વિમે આવેલો દેશ છે.જેને મુખ્ય ત્રણ ઋતુઓ- શીતઋતુ, ઉષ્ણ્ઋતુ અને વર્ષાઋતુ તથા તેેેને અંતગર્ત પરંપરાગત અને ઋતુઓની ભેટ મળી છે. ભારત આબોહવા ની દષ્ટિએ વિવિધતાભયો દેશ છે. તેથી તેમા વસતા લોકોના ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવો, તહેવારોમાં ઘણી જ ભિન્નતા જોવા મળે છે.આમ, ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો  ભાતીગળ દેશ છે. માનવીય ખોરાક અને પહેરવેશ ઉપર ભૌગોલિક તેમજ આબોહવાની અસર સ્પષ્ટ જોવા મળે છે. વર્તમાન સમયમાં દરેક રાજ્યમાં પુરુુુષો પેન્ટ, શૅૅટ તથા. સ્ત્રીઓ સલવાાર- કમીઝ પહેરે છે. પંજાબ- મધ્યપ્રદેશ, ગુજરાતમાં મુખ્ય પાક આ પ્રદેશના લોકો મુખ્ય પાક ઘઉં છે.
    
 લોકજીવનની દષ્ટિએ ભારતના ચાર ભાગ પાડી શકાય :-
(૧) પશ્વિમ ભારત
(૨) ઉત્તર ભારત
(૩) દક્ષિણ ભારત
(૪) પૂર્વ ભારત   
 
  • પશ્વિમ ભારત નું લોકજીવન
પશ્વિમ ભારતમાં મુખ્ય રાજ્યો રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર,
મધ્યપ્રદેશ તથા દિવ,દમન, દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશોનો પણ સમાવેશ થાય છે.
  • ખોરાક :-
રાજસ્થાાનના લોકોનો મુખ્ય ખોરાક
બાજરી તથા દાળ - બાટી છે. રાજસ્થાની લોકોની મારવાડી કચોરી નાસ્તા માટે જાણીતી છે.
 
ગુજરાતના લોકોનો મુખ્ય ખોરાક રોટલી- ભાખરી,શાક, 
દાળ-ભાત, ખીચડી, કંઢી છે. ખમણ, ગાંઠિયા ગુજરાતમાં ફરસાણ તરીકે વધુ ખવાય છે.જલેબી ગુજરાતની જાણીતી મીઠાઈ છે.

 ગુજરાત, મહારાષ્ટ્ર તથા ગોવના દરમિયાનકિનારે વસતા લોકોખોરાક મુખ્યત્વે ભાત - માછલાં છે.ઘ
  • પહેરવેશ 
રાજસ્થાન રણપ્રદેશ તથા સૂૂૂકો પ્રદેશ હોવાથી ત્યાં વનસ્પતિ વૈવિધ્ય ઓછું છે. તેથી તેમણે રંગબેરંગી પહેરવેશ દ્ધારા કરી છે. સામાન્ય રીતે પુરુષો ધોતિયું, અંગરખું તથા રંગબેરંગી પાધડી 
પહેરે છે. રાજસ્થાનમાં ઊંટની સંખ્યા વધારે હોવાથી ઊંટના ચામડાંમાથી બનાવેલી મોજડી તથા પગરખાં પહેરે છે.

મહારાષ્ટ્રના પુરુષોનો પણ પરંપરાગત પહેરવેશ પણ પડોશી રાજ્ય ગુજરાત તથા મહારાષ્ટ્ર જોવા જ છે.ગોવામા પણ પુરુષો ધોતી તથા પહેરવેશના સંદભૅ દરેક પ્રદેશને એક આગવી પરંપરાગત લાક્ષણિકતા છે.


  • રહેઠાણ :-
રાજસ્થાનમાં રણપ્રદેેેશના કારણે પ્રમાણમાં વરસાદ ઓછો પડતો હોવાથી મોટાભાગના મકાનો  ધાબાવાળા હોય છે. ગ્રામિણ વિસ્તારમાં લોકો ઘાાસ - માટીીાંથીમ બનાવેલા મકાનોમાં રહે છે.
ગુજરાતમાં શહેરમાં વસતા લોકો ઈંટ - સિમેન્ટમાંથી બનાવેલ આધુનિક મકાનોમાં રહે છે.
  • ભાષા. :-
રાજસ્થાનના લોકો મુખ્યત્વે હિન્દી ભાષા બોલે છે. જ્યારે
મારવાડ માં મારવાડી બોલી બોલાય છે. ગુજરાતમાં લોકોની મુખ્ય ભાષા ગુજરાતી છે. મહારાષ્ટ્રમાં મરાઠી, ગોવાની ભાષા કોંકણી છે.
  • તહેવારો - ઉત્સવો :-
મહાકવિ કાલિદાસે કહ્યું છે કે મનુષ્યો ઉત્સવપ્રિય છે. ભારતના
લોકો અનેક ઉત્સવો તહેવારો ઊજવે છે. રાજસ્થાનમાં લોકગીતો તથા લોકનૃત્યો ખાસ પ્રકારના હોય છે. ગુજરાત 
રાસ ગરબાથી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. મહારાષ્ટ્રમાં ગણેશચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.
  • ઉત્તર ભારત - લોકજીવન :-




ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. પંજાબ એ મુળ પાંચ નદીઓનો પ્રદેશ છે. દિલ્હી ભારતની રાજધાની છે.
  • ખોરાક :-

પંજાબ, હરિયાણામાં લોકોનો મુખ્ય ખોરાક ઘઉ છે. લસ્સી એ પંજાબનુ  જાણીતું પીણુ છે. જમ્મુ-કાશ્મીરમાં લોકોનો મુખ્ય ખોરાક  ભાત તથા માંસ માછલી છે. ઉત્તર પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક  રોટલી,દાળ-ભાત-શાાક  છે.










  • પહેરવેશ :-
પંજાબ, હરિયાણાના લોકો જે પોષક પહેરે છે તે પંજાબી ડ્રેસ તરીકે જાણીતો છે. સ્ત્રીઓ સલવાર કમીજ પહેરે છે. પુરુષો વિશેષ ઝભ્ભો તથા ખૂલતી સલવાર પહેરે છે. પુરુષો માથે પંજાબી પાધડી પહેરે છે.ઉત્તરખંડ લોકો મુખ્યત્વે ધોતી પહેરે તથા માથે વિશિષ્ટ ગઢવાલી ટોપી તથા સસ્ત્રીઓ માથે 
રૂમાલ બાંધે છે. ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે ધોતી પહેરે માથે ગમછો બાંધે છે. સ્ત્રીઓ સાડી, કબજો, ચણિયો પહેરે છે.

  • રહેઠાણ :-
પંજાબ હરિયાણામાં વરસાદ ઓછો પડતો હોવાથી મોટાભાાગે
ધાબાવાળા મકાનો હોય છે. શહેરના લોકો ઈંટ સિમેન્ટ માંથી બનાવેલ મકાનોમાં રહે છે. જમ્મુ-કાશ્મીરના મકાનની બનાવટમાં લાકડાંનો ઉપયોગ વિશેષ થાય છે. હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડમાં લોકો બે માળવાળા મકાનોમાં રહે છે. નીચે પશું બાંધે છે જેથી ઉપરના માળની લાકડાંની બનાવેલી ફશૅ એકંદરે ગરમ રહે છે.
  • ભાષા :-
પંજાબના લોકો પંજાબી , હરિયાણાના લોકો હરિયાણવી બોલે છે. ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે.હિમાચલ પ્રદેશ  ભાષા પહાડી છે.આ ઉપરાંત દૂરના પ્રદેેશોમા
દરેક રાજ્યમાં પ્રદેશિક બોલી બોલાય છે.
  • તહેવારો - ઉત્સવો :-
પંજાબનો મુખ્ય તહેવાર વૈૈૈશાખી,લાહિરી છે. ભાંગડા પંજાબનું જાણીતું લોકનૃત્ય છે. જમ્મુ-કાશ્મીરમાં ઈદ, મોહરમનો
તેહવારોની ઊજવાય છે. ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર હોળી છે.
આ ઉપરાંત ઉત્તરભારતમાં શિવરાત્રી, રામનવમી,દશેરો, નાતાલવ
વગેરે ઊજવાતા મુખ્ય તહેવારો છે.
  • દક્ષિણ ભારત - લોકજીવન :-


દક્ષિણ ભારતમાં મુખ્ય તેલંગણા, કણાટર્ક, તમિલનાડુ,કેરળ તથા કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતના તેલંગણા સિવાયના બધાં જ રાજ્યો દરિયાકિનારો મળ્યો છે.
  • ખોરાક :-
દક્ષિણ ભારતમાં  રાજ્યોમાં ખોરાકમાં મુખ્યત્વે ભાાત-માછલી,
કઠોળ હોય છે. દક્ષિણ ભારતની ચોખામાંથી બનેલી વાનગી ઈટલી, ઢોસા,મેડુવડા છે.જેની સાથે તેઓ કોપરાની ચટણીનો ઉપયોગ કરે છે.'રસમ' ના નામે ઓળખાય છે દક્ષિણ ભારતમા કેરળમાં કેળાના પાન પતરાળાં તરીકે વપરાય છે.
  • પહેરવેશ :-
દક્ષિણના રાજ્યોમાં ગરમ અને ભેજવાળા વાતાવરણને કારણે તેઓ  ખૂલતા કપડાં પહેરે છે. જ્યારે  સ્ત્રીઓ દક્ષિણી સાડી,
ચણિયો અને કબજો પહેરે છે. કેરળના લોકો લુગી પહેરે છે. ટુંકી ધોતી પણ પહેરે છે. સ્ત્રીઓ માથામાં ફુલોની વેણી પહેરે છે.
  • રહેઠાણ :- 
દક્ષિણ ભારતના લોકો શહેરોમાં ઈંટ સિમેન્ટનાં મકાનોમાં રહે છે. 
બેંગલુરુ, ચેન્નાઇ જેવા શહેરોમાં આધુનિક મકાનો જોવા મળે છે.
દરિયાકિનારે વસતા લોકોના ઝુંપડામાં નાળિયેરનાં પાનનો ઉપયોગ વિશેષ થાય છે. દક્ષિણ ભારતમાં ઘરનાં આંગણે નિત્ય રંગોળી પુરાય છે.
  • ભાષા :-
દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા દ્વવિડકુળની ભાષા તરીકે ઓળખાય છે. આન્ધ્ર પ્રદેશ,તેેલગણમા. તેલુગુ, કણાટર્કમા
કન્નડ, તમિલનાડુમાં તમિલ અને કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે.
  • તહેવારો - ઉત્સવો :-

પૈૈૈગલ  એ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે. ત્યાં મકરસંક્રાંતિ તથા
વિશાખાનો તહેવાર ઉજવાય છે. કણાટર્કમા દશેરો,ઈદ, નવરાત્રી તહેવાર ઉજવાય છે. કથકલી એ કેરળનુ જાણીતી નુતય છે.
  • પૂર્વ ભારત - લોકજીવન :-






પૂર્વ ભારતમાં બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, પશ્વિમ બંગાળ, આસમ, મણિપુર, ત્રિપુરા, મેઘાલય વગેરે રાજ્યોમાં
પૂર્વ ભારતમાં ઓડિશા, પશ્વિમ બંગાળને દરિયાકિનારો મળ્યો છે.
  • ખોરાક :-
બિહાર, ઝારખંડ, છત્તીસગઢ તથા પશ્વિમ બંગાળના લોકો રોોલી, શાકભાજીનો ખોરાક લે છે.પણ ખોરાકમાં ભાતનું પ્રમાણ વધારે પ્રમાણ  વધારે છે. આ ઉપરાંત કઠોળ, લીલા શાકભાજીનો ઉપયોગ પણ ખોરાકમાં કરે છે."રસગુલ્લા"અને "સંદેશ" બંગાળી લોકોની પ્રિય મીઠાઈ છે.
  • પહેરવેશ :- 
બિહારના લોકો પુરુષો ધોતી , ઝભ્ભો,ખભે ખેસ,માથે પાધડી પહેરે છે. સ્ત્રીઓ સાડી.પહરે, કબજો પહેરે છે.બંગાળી સ્ત્રીઓ બંગાળી.  ઢબે સાાીડ પહરે છે. પુરુષો પાાટલુુનવાાાળુ ધોોિયું પહેરે.છે.
  • રહેઠાણ :- 

મેદાની પ્રદેશના રાજ્યોમાં લોકો ઈંટ સિમેન્ટનાં મકાનોમાં રહે છે.
પર્વતીય વિસ્તારમાં વસતા લોકોના ઘરોમાં લાકડાં અને વાંસનો ઉપયોગ વિશેષ કરવામાં આવે છે.વધારે વરસાદવાળા પ્રદેશોમાં છાપરાં વધારે ઢાળવાળા હોય છે. બંગાળમાં ઘરનાં પાછળના ભાગમાં તળાવ રાખવામાં આવે છે.જેમા માછલાનો ઉછેર કરવામાં આવે છે. અને માછલાં રોજ બરોજ ખોરાકમાં ઉપયોગ કરે છે.
  • ભાષા :-
ઝારખંડ, છત્તીસગઢ, બિહાર ની મુખ્ય ભાષા. હિન્દી છે.ભોજપુરી,માગધી એ બિહાર રાજ્યમાં ની ભાષા છે. બંગાળમાં   બંગાળી ભાષા  બોલાય છે.
  • ઉત્સવો - તેહવારો :-
અસમનુ બિહુ અને ઓડિશા નું ઓડિસી નૃત્ય જાાાતું છે. 
જગન્નાથપુરીની રથયાત્રા દુનિયાભરમાં પ્રખ્યાત છે.ભારત
બિનસાંપ્રદાયિક દેશ છે.તેથી તેમાં ધાર્મિક, રાષ્ટ્રીય તહેવારો દરેક રાજ્યમાં ઊજવામા અવે છે. ભારતમાં દરેક ધર્મના તહેવારો ભેદભાવ વિના સમરસતાથી ઊજવાય છે.





 


નાયકા પ્રિતી અશોકભાઈ
(F.y.be.d.Roll.no -16 Div -2)

Comments

Post a Comment